બંધ

પંંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર

  • પંચાસરા
  • જૈન મંદિર

પંંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે. આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે. કપુર મહેતાના પાડાની પણ મુલાકાત લેવા જેવી છે, જ્યાં પથ્થરના મંદિરના અંદરના ભાગમાં કાષ્ટ કારીગરી છે. એક સમયે તમામ જૈન મંદિરો લાકડાનું સુંદર અને નાજુક કોતરણીકામ કરીને બનાવવામાં આવતા હતા. એવું કહેવાય છે કે નિષ્ણાત સ્થપતિ ઉદા મહેતાએ એકવાર મંદિરમાં સળગતી મીણબત્તી મોંઢામાં લઇને જતા ઉંદરને જોયો, ત્યારે તેમને લાગ્યું કે ક્યારેક કોઈ હોનારતમાં વર્ષોની મહેનત બળીને ખાખ થઈ જશે, ત્યાર બાદ તમામ મંદિરો પથ્થરોમાં કોતરવાનો આગ્રહ રાખ્યો હતો.

જાણીતા જૈન વિદ્વાન અને કવિ, હેમચન્દ્રાચાર્યને ગુજરાતી વ્યાકરણની સુવ્યવસ્થિત રજૂઆત માટે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. તેમનો વ્યાકરણનો ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન લખવામાં આવ્યો, જે પાણીણીના સંસ્કૃત વ્યાકરણ પરના ગ્રંથની પ્રતિરૂપ તરીકે ભાસે છે. કવિએ આ જ્ઞાન મંદિર બાંધ્યું, એક પ્રાચીન પુસ્તકાલય જેમાં તાડના પાંદડા પર લખાયેલાં અસંખ્ય પ્રાચીન હસ્તલિખિત જૈન દસ્તાવેજો(કેટલાંક સોનાની શાહીથી લખાયેલાં છે) અને કવિ દ્વારા લખાયેલી સાહિત્યનો સમાવેશ થાય છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

પાટણ થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 125 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

પાટણ દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.